શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
SHARE
શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સાંજે ૭ વાગ્યે શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અવસાન પામેલ લોકોના આત્માની શાંતિ માટે મૌન પાડીને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તકે રાજપુત કરણી સેનાના હોદ્દેદારો, આગેવાનો તેમજ રાજપુત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને મૃતકોને ઈશ્વર શાંતિ અર્ તેમજ તેમના પરિવારજનોને આ કારમુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.