મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત
Breaking news
Morbi Today

મોરબીને પાસપોર્ટ સુવિધા કેન્દ્ર આપવા વડાપ્રધાનને રજૂઆત


SHARE













મોરબીને પાસપોર્ટ સુવિધા કેન્દ્ર આપવા વડાપ્રધાનને રજૂઆત

મોરબી જિલ્લો બની ગયાને અનેક વર્ષો વીતી ગયા છે.છતાં પણ અનેક બાબતોની હજી ત્રુટીઓ જિલ્લામાં જોવા મળે છે જે પૈકી મોરબીમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્ર ન હોય તેના માટે વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબીમાં આશરે ૧૫૦૦ જેટલા નાના-મોટા કારખાનાઓ આવેલા છે અને એટલા જ ઉધોગપતિઓ અહીં કામકાજ માટે બહાર જતા હોય છે અને અન્ય રાજ્ય કે અન્ય દેશમાંથી લોકો કામકાજ માટે મોરબી ખાતે આવતા હોય છે.ત્યારે મોરબીના લોકોને પાસપોર્ટની સુવિધાની જરૂરિયાત ઊભી થાય છે અને તેના માટે અહિડના લોકોએ રાજકોટના ધક્કા ખાવા પડે છે તે માટે અહીંના સામાજિક કાર્યકર દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને મોરબી ખાતે પાસપોર્ટ સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

મોરબી શહેર ઔદ્યોગિક શહેર છે.અહીં સિરામિક, સેનિટેશન, ડાયમંડ, પેપર મિલ, પોલીપેક ઉદ્યોગની સાથે ઘડિયાળ તેમજ નળીયા અને અન્ય અનેક ઉદ્યોગ પણ વૈશ્વિક સ્તરે કાર્યરત છે.મોરબી શહેર કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે મહત્તમ આવક પેદા કરે છે.મોરબી નગરને જલ્દીથી પાસપોર્ટની સુવિધા મળે તે જરૂરી છે.અહીંના ઉદ્યોગપતિઓ ધંધાના કામ માટે દુનીયાભરના દેશમાં ટુર કરે છે.જેથી મોરબીને ટૂંક સમયમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્ર મળશે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.રાજ્ય સરકારે તાજેતરમાં મોરબી નગરને મહાનગરપાલિકા આપવાનું આયોજન કર્યું છે.મોરબી જીલ્લાનું કેન્દ્ર છે.ઔદ્યોગિક કેન્દ્ર છે અને ધાર્મિક યાત્રાધામો પણ અહિં છે તેથી જરૂરીયાતને ધ્યાને લઇને મોરબી શહેરને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી પાસપોર્ટ સુવિધા કેન્દ્ર મળે તેવી માંગ ઉઠી છે જેથી અહિંના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ વડાપ્રધાન ઉપરાંત વિદેશ મંત્રી, મુખ્યમંત્રી-ગુજરાત, મોરબી કલેક્ટર, સાંસદ કચ્છ તેમજ ધારાસભ્ય સહિતનાઓને રજુઆત કરેલ છેે






Latest News