મોરબીના પ્રાણ પ્રશ્નો ઉકેવા અને યોજનાઓની અમલવારી માટે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ
મોરબીમાં રાજયમંત્રીની હાજરીમાં અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનું શરૂ
SHARE
મોરબીમાં રાજયમંત્રીની હાજરીમાં અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનું શરૂ
તાજેતરમાં જમ્મુ - કસમીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ છે જેમાં પંજાબ ૩, ઉત્તરપ્રદેશ ૧, કેરળ ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ છે ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ છે ત્યારે તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશ ભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા આજથી બે દિવસ મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતા રામ ચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવશે અને આજે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે શ્રમ રોજગાર અને પંચાયત રાજયમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ફંડ એકત્રીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ ભેગું થયેલું ફંડ અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરોવરજનોને પહોંચાડવામાં આવશે જે કામગીરીને રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોએ બિરદાવી હતી