ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજયમંત્રીની હાજરીમાં અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનું શરૂ


SHARE













મોરબીમાં રાજયમંત્રીની હાજરીમાં અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનું શરૂ

તાજેતરમાં જમ્મુ - કસમીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ છે જેમાં પંજાબ ૩, ઉત્તરપ્રદેશ ૧, કેરળ ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ છે ત્યારે આ છ શહીદ જવાનોદેશની સેવા કરતા શહીદ થયેલ છે ત્યારે તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશ ભક્ત અને સેવાના  ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા આજથી બે દિવસ મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતા રામ ચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવશે અને આજે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે શ્રમ રોજગાર અને પંચાયત રાજયમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ફંડ એકત્રીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ ભેગું થયેલું ફંડ અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરોવરજનોને પહોંચાડવામાં આવશે જે કામગીરીને રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોએ બિરદાવી હતી






Latest News