મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બનતા એપાર્ટમેન્ટમાંથી રમતા રમતા નીચે પડતા ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું મોત


SHARE





મોરબીમાં નવા બનતા એપાર્ટમેન્ટમાંથી રમતા રમતા નીચે પડતા ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું મોત

મોરબીની પંચાસર ચોકડી પાસે નવા બનતા એપાર્ટમેન્ટમાં રમતા રમતા પડી જવાથી દોઢ વર્ષની બાળકીને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નિપજયુ હતુ જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી નજીક તુલસી પાન સામે નવા બનતા એપાર્ટમેન્ટમાં રાજુભાઈ પારગી કામકાજ કરી રહ્યા હતા દરમિયાન તેની દોઢ વર્ષની બાળકી સોનાક્ષી રમતા રમતા પગથીયા ઉપરથી નીચે પડી જતા તે બાળકીને માથાના ભાગ ગંભીર ઇજા થઇ હતી  જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે બાળકીનું ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

વાંકાનેરમાં જકાતનાકા પાસે સેજલભાઈ હુસેનભાઇ પીપરવાડિયા (૨૭) રહે. જીનપરા શેરી નં ૧૩ વાંકાનેર નામના યુવાનને બાબુભાઈ ભરવાડ અને તેની સાથે આવેલ વ્યક્તિ દ્વારા કોઈ કારણોસર ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં યુવાનને પ્રથમ સારવાર માટે વાંકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી રાબેતા મુજબની છે.




Latest News