મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બનતા એપાર્ટમેન્ટમાંથી રમતા રમતા નીચે પડતા ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું મોત


SHARE











મોરબીમાં નવા બનતા એપાર્ટમેન્ટમાંથી રમતા રમતા નીચે પડતા ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું મોત

મોરબીની પંચાસર ચોકડી પાસે નવા બનતા એપાર્ટમેન્ટમાં રમતા રમતા પડી જવાથી દોઢ વર્ષની બાળકીને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નિપજયુ હતુ જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી નજીક તુલસી પાન સામે નવા બનતા એપાર્ટમેન્ટમાં રાજુભાઈ પારગી કામકાજ કરી રહ્યા હતા દરમિયાન તેની દોઢ વર્ષની બાળકી સોનાક્ષી રમતા રમતા પગથીયા ઉપરથી નીચે પડી જતા તે બાળકીને માથાના ભાગ ગંભીર ઇજા થઇ હતી  જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે બાળકીનું ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

વાંકાનેરમાં જકાતનાકા પાસે સેજલભાઈ હુસેનભાઇ પીપરવાડિયા (૨૭) રહે. જીનપરા શેરી નં ૧૩ વાંકાનેર નામના યુવાનને બાબુભાઈ ભરવાડ અને તેની સાથે આવેલ વ્યક્તિ દ્વારા કોઈ કારણોસર ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં યુવાનને પ્રથમ સારવાર માટે વાંકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી રાબેતા મુજબની છે.






Latest News