મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીની લાયોનેશ ક્લબ ઓફ ભારત દ્વારા સોમવારે વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પીટીશન યોજાશે, રવિવારે રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ


SHARE













મોરબીની લાયોનેશ ક્લબ ઓફ ભારત દ્વારા સોમવારે વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પીટીશન યોજાશે

લાયોનેસ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા પાંચ જૂન પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે ઓપન મોરબી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું છે.અત્યારના સમય પ્રમાણે પર્યાવરણની જાળવણી અને સુરક્ષા કરવી તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે.જેના અનુસંધાને આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.વિજેતા બહેનોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.જેમાં બહેનોએ ઘરેથી જ પોતાની વસ્તુ લાવીને આપેલ સમય મુજબ જે તે સ્થળ ઉપર જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની રહેશે.આ હરીફાઈમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી.પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવાના હોવાથી મોરબીના બહેનોએ સ્પર્ધામાં જોડાવા પોતાના નામ નોંધાવી લેવાના રહેશે.સ્પર્ધા આગામી તા.૧૦ ને સોમવારે બપોરે ૪ થી ૬ દરમિયાન..એ.કે.કોમ્યુનિટી હોલ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે યોજાશે.રજીસ્ટ્રેશન માટે મયુરીબેન કોટેચા (મો.૯૨૭૫૯ ૫૧૯૫૪), પ્રીતિબેન દેસાઈ (મો.૯૩૨૮૯ ૭૦૪૯૯), મનીષાબેન ગણાત્રા (મો.૮૨૩૮૨ ૮૨૪૨૦) અથવા હીનાબેન પંડ્યા (મો.૯૯૭૮૯ ૨૮૯૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ

નવરંગ નેચરલ કલબ દ્વારા તા.૯ ને રવિવારે સવારે ૮ થી ૧ દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત ભાવે વેચાણ કરવામાં આવશે.જેમાં દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા, અનેક પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથથી ખાંડેલા પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ પાવડર, ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા વિગેરે રાહત ભાવે મળશે.








Latest News