મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની લાયોનેશ ક્લબ ઓફ ભારત દ્વારા સોમવારે વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પીટીશન યોજાશે, રવિવારે રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ


SHARE





મોરબીની લાયોનેશ ક્લબ ઓફ ભારત દ્વારા સોમવારે વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પીટીશન યોજાશે

લાયોનેસ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા પાંચ જૂન પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે ઓપન મોરબી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું છે.અત્યારના સમય પ્રમાણે પર્યાવરણની જાળવણી અને સુરક્ષા કરવી તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે.જેના અનુસંધાને આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.વિજેતા બહેનોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.જેમાં બહેનોએ ઘરેથી જ પોતાની વસ્તુ લાવીને આપેલ સમય મુજબ જે તે સ્થળ ઉપર જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની રહેશે.આ હરીફાઈમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી.પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવાના હોવાથી મોરબીના બહેનોએ સ્પર્ધામાં જોડાવા પોતાના નામ નોંધાવી લેવાના રહેશે.સ્પર્ધા આગામી તા.૧૦ ને સોમવારે બપોરે ૪ થી ૬ દરમિયાન..એ.કે.કોમ્યુનિટી હોલ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે યોજાશે.રજીસ્ટ્રેશન માટે મયુરીબેન કોટેચા (મો.૯૨૭૫૯ ૫૧૯૫૪), પ્રીતિબેન દેસાઈ (મો.૯૩૨૮૯ ૭૦૪૯૯), મનીષાબેન ગણાત્રા (મો.૮૨૩૮૨ ૮૨૪૨૦) અથવા હીનાબેન પંડ્યા (મો.૯૯૭૮૯ ૨૮૯૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ

નવરંગ નેચરલ કલબ દ્વારા તા.૯ ને રવિવારે સવારે ૮ થી ૧ દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત ભાવે વેચાણ કરવામાં આવશે.જેમાં દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા, અનેક પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથથી ખાંડેલા પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ પાવડર, ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા વિગેરે રાહત ભાવે મળશે.




Latest News