મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ભાઈ-બહેનોને અંધજનનાં વાસ્તવિક જીવન ઉપર બનેલ ફિલ્મ બતાવવામાં આવી


SHARE













મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ભાઈ-બહેનોને અંધજનનાં વાસ્તવિક જીવન ઉપર બનેલ ફિલ્મ બતાવવામાં આવી

મોરબીનાં લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા ૧૧ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ચાલે છે તેની સાથે છેલ્લા ૭ વરસથી સિદ્ધાર્થ જોષી જોડાયેલ છે અને તેમની કાર્યશેલી આગવી સુજબુજ તેમજ દીર્ઘ દ્રષ્ટિથી સંસ્થાને અને અંધજનોને અલગ મુકામ સુધી પોહચાડ્યા છે આજના સમયમાં કોઇ માટે સમય કાઢવો તે ખુબ અઘરી વાત છે જ્યારે સિદ્ધાર્થભાઈ પોતાનો મોટા ભાગનો સમય સંસ્થા પાછળ ખર્ચી નેત્રહીનોના વિકાસ પાછળ લગાડે છે. અને તાજેતરમા અંધજનનાં વાસ્તવિક જીવન ઊપર બનેલી ફિલ્મ “Srikanth” ને મોરબી શહેર તરફથી કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. આ ફિલ્મ તેમણે જોઈ અને મનોમન સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ અને બહેનોને ફિલ્મ બતાવવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ આ ફિલ્મ થોડા જ દિવસમાં સિનેમામાથી ઉતરી ગયેલ હતી તેમને ખાસ ક્લબ ૩૬ નાં ઓનર રાજુભાઈ સાથે વાત કરી સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુઓ માટે આ ફિલ્મને મંગાવી અંધજનોને આ ફિલ્મ બતાવી હતી અને અંધજનો પણ આ ફિલ્મ જોવા માટે આતુર હતા અને ફિલ્મ જોયા બાદ તેમના મુખ ઊપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું  તેમજ સંસ્થાના ટ્રસ્ટી તેજશભાઈ બારા તમામને નાસ્તો કરાવવામાં આવ્યો હતો




Latest News