વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ભાઈ-બહેનોને અંધજનનાં વાસ્તવિક જીવન ઉપર બનેલ ફિલ્મ બતાવવામાં આવી


SHARE











મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ભાઈ-બહેનોને અંધજનનાં વાસ્તવિક જીવન ઉપર બનેલ ફિલ્મ બતાવવામાં આવી

મોરબીનાં લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા ૧૧ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ચાલે છે તેની સાથે છેલ્લા ૭ વરસથી સિદ્ધાર્થ જોષી જોડાયેલ છે અને તેમની કાર્યશેલી આગવી સુજબુજ તેમજ દીર્ઘ દ્રષ્ટિથી સંસ્થાને અને અંધજનોને અલગ મુકામ સુધી પોહચાડ્યા છે આજના સમયમાં કોઇ માટે સમય કાઢવો તે ખુબ અઘરી વાત છે જ્યારે સિદ્ધાર્થભાઈ પોતાનો મોટા ભાગનો સમય સંસ્થા પાછળ ખર્ચી નેત્રહીનોના વિકાસ પાછળ લગાડે છે. અને તાજેતરમા અંધજનનાં વાસ્તવિક જીવન ઊપર બનેલી ફિલ્મ “Srikanth” ને મોરબી શહેર તરફથી કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. આ ફિલ્મ તેમણે જોઈ અને મનોમન સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ અને બહેનોને ફિલ્મ બતાવવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ આ ફિલ્મ થોડા જ દિવસમાં સિનેમામાથી ઉતરી ગયેલ હતી તેમને ખાસ ક્લબ ૩૬ નાં ઓનર રાજુભાઈ સાથે વાત કરી સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુઓ માટે આ ફિલ્મને મંગાવી અંધજનોને આ ફિલ્મ બતાવી હતી અને અંધજનો પણ આ ફિલ્મ જોવા માટે આતુર હતા અને ફિલ્મ જોયા બાદ તેમના મુખ ઊપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું  તેમજ સંસ્થાના ટ્રસ્ટી તેજશભાઈ બારા તમામને નાસ્તો કરાવવામાં આવ્યો હતો






Latest News