મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજીને રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવાયો
SHARE
મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજીને રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવાયો
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિતે મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા મોરબીના જલારામ મંદિર ખાતે નિસહાય લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને આ રીતે રાહુલ ગાંધીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ (કાળુભાઈ) પટેલ, NSUI નાં પ્રમુખ ભાવનીકભાઈ મુછડીયા, શહેર કોંગ્રેસનાં ચીરાગભાઈ રાચ્છ, રવજીભાઈ સોલંકી, દાઉદભાઈ, યુવા કોંગ્રેસનાં મિલનભાઈ સોરીયા, સાજનભાઈ વિલપરા અને જલારામ મંદિરનાં આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ ક્કકડ સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.