વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં કોન્ટ્રાક્ટર એસો.એ અધિકારીના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં કડક પગલાં લેવા કરી માંગ


SHARE













મોરબીમાં કોન્ટ્રાક્ટર એસો.એ અધિકારીના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં કડક પગલાં લેવા કરી માંગ

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો.ના સભ્યએ કરેલ કામના બિલ માટે અનેક વખત માંગણી કરી હતી તો પણ સરકારી અધિકારી દ્વારા તેનુ કરેલ કામનું બિલ આપવામાં આવ્યું ન હતું જેથી તેને આત્મહત્યા કરી હતી આ બનાવ સંદર્ભે મોરબી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કોન્ટ્રાકટરની આત્મહત્યા પાછળ જે અધિકારી જવાબદાર હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે અને મૃતકના પરિવારને તાત્કાલિક તેના બાલી બિલની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસો. ના હોદેદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો.ના સભ્ય કનુભાઈ પટેલે ગત તા. 15 જૂનના રોજ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કેમ કે, કનુભાઈ પટેલે સરકારી કામ રાખીને તે કામ કરી આપ્યું હતું તો પણ તેનું બિલ ચૂકવવામાં આવ્યું ન હતી અને અનેક વખત માંગણી કરી હતી. તો પણ બાકી બિલની રકમ આપવામાં આવી ન હતી જેથી કરીને નાણાકીય ભીડના કારણે તેને આત્મહત્યા કરી લીધેલ છે અને આ અંતિમ પગલું ભરતા પહેલા તેને અધિકારીને પણ નાણાકીય ભીડની જાણ કરી હતી તો પણ અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી લીધી ન હતી.

વધુમાં જણાવ્યુ હતું કે, અધિકારી બિલ કાઢવા માટે ઉચી ટકાવારીની માંગણી કરતાં હતા અને કામ ચાલુ હોવા છતાં ખોટી નોટિસ આપીને કનુભાઈ પટેલને માનસિક ત્રાસ આપતાં હતા અને અમાનવીય વર્તન કરતાં હતા. જેથી આવા અધિકારીની સામે શિક્ષાત્મક પગલાં લઈને કડક સજા કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર્સ એસો. દ્વારા મોરબીના કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. અને મૃતક કનુભાઈ પટેલના બાકી બિલના નાણા વહેલમાં વહેલી તકે તેના પરિવારને આપવામાં આવે તેવી માંગ કરી છે અને કોન્ટ્રાક્ટરને કરેલ કામના બિલની રકમનું ચૂકવણું દર મહિને કરવામાં આવે, સબ કોન્ટ્રાક્ટરને હાલના નિયમમાં ફેરફાર કરીને કાયદેસરની માન્યતા આપવામાં આવે અને જિલ્લા પંચાયતમાં નવી ચાલુ કરેલ એપને બંધ કરીને કોન્ટ્રાક્ટરોને ઓફ લાઈન બિલનું ચુકવણું કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.






Latest News