મોરબી તાલુકામાં અમુક તલાટી કમ મંત્રીઓ ફરજમાં બેદરકારી રાખતા હોય લોકો હેરાન: ટીડીઓને કરાઇ રજૂઆત
મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે SSY પરિવાર દ્વારા વિશ્વ યોગદિનની ઉજવણી
SHARE
મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે SSY પરિવાર દ્વારા વિશ્વ યોગદિનની ઉજવણી
મોરબીમાં ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ પરિવાર દ્વારા નિયમિત રીતે દર ત્રણ મહિને SSY ની ચૌદ દિવસીય યોગ શિબિર થતી હોય છે જેમાં સાધકો યોગ અને પ્રાણાયામ દ્વારા તન મનની તાજગી પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે તેવા સમયે મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે સ્વામિ પ્રેમપ્રકાશ દાસજીની પ્રેરણાથી શાસ્ત્રી સ્વામી જગતપ્રસાદ દાસજી, પુરાણી દિવ્યપ્રકાશ સ્વામીજીની સાનિધ્યમાં અને રમેશભાઈ પટેલની ઉપસ્થિતમાં SSY સિદ્ધ સમાધી યોગ પરિવારના સાધકો અને હરિભક્તોએ ખુબ જ બહોળી સંખ્યામાં હાજર રહીને સુક્ષમ યોગિક ક્રિયાઓ તેમજ કપાલ ભાંતી, ભસ્ત્રીકા, અનુલોમ વિલોમ,વગેરે પ્રાણાયામ તેમજ ધ્યાન કરીને દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.