મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોઈ કારણોસર દંપતી ઉપર પાઇપ-ધોકા વડે ત્રણ શખ્સે કર્યો હુમલો


SHARE













વાંકાનેરમાં કોઈ કારણોસર દંપતી ઉપર પાઇપ-ધોકા વડે ત્રણ શખ્સે કર્યો હુમલો

વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક આંબેડકરનગરમાં રામાપીરના મંદિર પાસે રમણભાઈની વાડીમાં રહેતા દંપતી ઉપર ત્રણ શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલ દંપતીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક આંબેડકરનગરમાં રામાપીરના મંદિર પાસે રમણભાઈની વાડીમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (50) અને તેઓના પત્ની નયનાબેન નરેશભાઈ સોલંકી (39) ઉપર તા. 21/6 ના રોજ રાત્રીના સવા દસ વાગ્યાની આસપાસ ઋત્વિક, રોબિન રમેશભાઈ અને કૌશલ તેમજ અજાણ્યા શખ્સે કોઈ કારણોસર ઝઘડો કરીને પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો અને દંપતીને માર માર્યો હતો જેથી દંપતીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરી છે અને વધુમાં નરેશભાઇના ભત્રીજા પાર્થભાઈ જયંતીભાઈ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, સામે વાળા તેના કાકાની પાડોશમાં જ રહે છે જો કે, મારા મારી કયા કારણોસર થયેલ છે તેની તેને કોઈ જાણ નથી.

યુવાન સારવારમાં

વાંકાનેરના કુંભારપરામાં રહેતા જીવનભાઈ ભરતભાઈ રાઠોડ (20) તા. 21/6 ના રાત્રીના નવા વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝઘડો કરીને ઈટ તથા પાઇપ વડે માર માર્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધ સારવારમાં

ટંકારાના રખડતું ભટકતું જીવન જીવતા હુસેનભાઇ હાલા (65) ગઇકાલે બપોસે 4:30 વાગ્યાની આસપાસ રાજપીપળીયા ગામ પાસે ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે તેઓને વાંકાનેર લઈ ગયા હતા બાદમાં તેને બેભાન હાલતમાં રાજકોટ સારવાર માટે લઈને આવ્યા છે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.








Latest News