મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે ખેતીના રસ્તા બાબતે ખેડૂત અને તેના ત્રણ દીકરાઓને માર માર્યો: ગન બતાવીને મારી નાખવાની ધમકી


SHARE













ટંકારાના ઓટાળા ગામે ખેતીના રસ્તા બાબતે ખેડૂત અને તેના ત્રણ દીકરાઓને માર માર્યો: ગન બતાવીને મારી નાખવાની ધમકી

ટંકારાના ઓટાળા ગામે ખેતીની જમીનમાં જવાના રસ્તા બાબતે મામલતદાર કચેરીમાં કેસ કરવામાં આવેલ છે જે બાબતનો રોષ રાખીને જમીન લેનાર શખ્સે અન્ય સાત શખ્સોને સાથે રાખીને લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યારે ખેડૂત અને તેના ત્રણ દીકરાને માર માર્યો હતો તેમજ આરોપીએ તેની લાયસન્સ ગન બતાવીને ખેડૂત તેમજ તેના ત્રણ દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ ખેડૂતના દીકરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા નિકુલભાઇ નરભેરામ ઘોડાસરા જાતે પટેલ (29)એ હાલમાં રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા રહે. વાંછકપર તાલુકો ટંકારા તથા તેની સાથે આવેલા સાત શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ઓટાળા ગામની સીમમાં જમીન આવેલ છે અને તેની બાજુમાં બેચરભાઈની જમીન હતી જે તેઓએ આરોપી રોહિતભાઈને વેચી દીધેલ છે અને ફરિયાદીને પોતાની જમીનમાં જવાનો રસ્તો હતો તે રસ્તો આરોપી રોહિતભાઈએ બંધ કરી દીધો હતો જે બાબતે મામલતદાર કચેરીમાં કેસ કરેલ છે જે તેને સારું નહીં લાગતા લોખંડના પાઇપ વડે ફરિયાદીને મારી રાખવાના ઇરાદે તેના માથાના પાછળના ભાગમાં પાઇપનો જીવલેણ ઘા માર્યો હતો અને તેના હાથ ઉપર પણ પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી તેની સાથે આવેલા શખ્સોએ ફરિયાદીને ધોકા વડે વાસા, બંને પગ અને કમરના ભાગે માર મારીને ઇજા કરી હતી

તેમજ ત્યાં હાજર રહેલા ફરિયાદીના ભાઈ વિશાલભાઈને આરોપી રોહિતભાઈએ લોખંડના પાઇપ વડે હાથમાં માર મારીને ઇજા કરી તો ફરિયાદીના ભાઈ કાનજીભાઈને લાકડાના ધોકા વડે છાતીના અને પેટના ભાગે માર માર્યો અને ફરિયાદીના પિતા નરભેરામભાઈને આરોપીઓએ ધક્કો મારીને પાડી દીધા હતા ત્યારબાદ રોહિતભાઈએ તેની પાસે રહેલ લાયસન્સ વાળી ગન બતાવીને સાહેદ તથા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં નિકુલભાઇ ઘોડાસરએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રોહિતભાઈ ફાંગલિયા સહિતનાઓની સામે હત્યાની કોશિશ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.








Latest News