વાંકાનેરના તરકીયા ગામે ખનન કરવા પાથરી રાખેલ વિસ્ફોટકનો પોલીસે કોર્ટની મંજુરી સાથે નાશ કર્યો
ટંકારાના સજનપર ગામે ઘરમાંથી સોનાના દાગીના-રોકડની ચોરી: જાણ ભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા
SHARE
ટંકારાના સજનપર ગામે ઘરમાંથી સોનાના દાગીના-રોકડની ચોરી: જાણ ભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા
ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વ્યક્તિના ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ વ્યક્તિ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે થઈને તપાસ શરૂ કરી છે.
મોરબી જિલ્લામાં આવતા ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા મકાન ધરાવતા અને હાલમાં મોરબીમાં રહેતા હર્દિકભાઇ માધવજીભાઈ ભૂતના ઘરની અંદરથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તેમના કાકા ચંદુભાઈ પટેલ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની આ ઘટના બાબતે જાણ કરવામાં આવી હતી અને હાર્દિકભાઇની અરજી ફરિયાદ આપવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ઘરમાંથી સોનાની ત્રણ વીંટી, સોનાનો એક પટ્ટો, ચેઇન, બુટી તથા અન્ય ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને અંદાજે એકાદ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થયેલ છે જેથી કરીને પોલીસે લેખિત અરજી ફરિયાદ લઈને આગળની તપાસ શરૂ કરેલ છે વધુમાં ગામમાં થતી ચર્ચા મુજબ હર્દિકભાઇ ભૂતના રહેણાંક મકાનની અંદર કરવામાં આવેલ ચોરીની ઘટનામાં કોઈ જાણ ભેદુ જ સંડોવાયેલ હોય તેવી શક્યતા છે જેથી કરીને પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.