હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં લુણસર  ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને મહિલા સહિત 4 વ્યક્તિએ માર માર્યો


SHARE

















વાંકાનેરનાં લુણસર  ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને મહિલા સહિત 4 વ્યક્તિએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં લુણસર  ગામે દસેરાના દિવસે તાવાના ચુલા ખસેડવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને યુવાનને મહિલા સહિત ચાર વ્યક્તિઓ દ્વારા ધોકા અને પાઇપ વડે માર મરવામાં આવેલ છે જેથી યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં લુણસર  ગામે રહેતા ભરતભાઇ જીવાભાઇ ચાવડા (ઉ.૩૩) એ હાલમાં અશ્વીન કાંતીભાઇ ચાવડા, કાંતીભાઇ લક્ષ્મણભાઇ ચાવડા, ચંદ્રીકાબેન અશ્વીનભાઇ ચાવડા રહે ત્રણેય લુણસર અને કુણાલ મુકેશભાઇ પરમાર રહે. ઇન્દીરાનગર મોરબી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા તા.૧૬/૧૦ ના ત્રણેક વાગ્યાના અરસામા લુણસર ગામમાં દશેરાના દીવસે કુટુંબ પરીવાર ભેગો થયેલ હોય તે વખતે તાવાના ચુલા ખસેડવા બાબતે બોલાચાલી થયેલ હતી જેથી ફરિયાદીએ અશ્વીન કાંતીભાઇ ચાવડાને કહેલ કે મોટા વડીલો બોલતા હોય તેમા આપણે છોકરાએ ન બોલવુ જોઇએ જે તેને સારું નહી લાગતા આ કામના આરોપીઓએ ફરિયાદી યુવાનને લાકડી તથા પાઇપ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News