ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં સીટી પીઆઇ ઉપર ધોકા વડે હુમલો..!, પીઆઇ સારવારમાં


SHARE













મોરબીના વાંકાનેરમાં સીટી પીઆઇ ઉપર ધોકા વડે હુમલો..!, પીઆઇ સારવારમાં

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ખંભાળા ગામે પીઆઇ(પોલીસ ઇન્સ્પેકટર)  ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે..! સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પવનચક્કી બાબતે કરવા આવેલ અરજી અને પવનચક્કી ન નાંખવા દેવા બાબતના વિવાદમાં અરજીની તપાસમાં ફરીયાદીને સાથે રાખીને તપાસમાં ગયેલા પીઆઇ સરવૈયા ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ટાંકા આવતા હાલ પીઆઇને સારવારમાં લઇ જવાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં ફરિયાદીને સાથે રાખીને તપાસમાં ગયેલા પીઆઇ બી.જી.સરવૈયા ઉપર તેમજ ફરિયાદી  ઉપર સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ઢોર માર મારવાની સાથે સાથે પીઆઇને પણ સામેના પક્ષના લોકો દ્રારા પીઆઇને માથાના ભાગે ધોકો ફટકારી દેવામાં આવતા પીઆઇ સરવૈયાને માથાના ભાગે ત્રણથી ચાર ટાંકા આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. વધુમાં મળતી માહિતી મુજબ પોલીસ એસોર્ટના બનાવની  જાણ થતા ડીવાયએસપી દ્વારા તમામ થાણા અધિકારીઓને હાલ વાંકાનેર દોડી જવા માટે સૂચના આપવામાં આવી છે જેના પગલે વાંકાનેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે અને ચોતરફ હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News