મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારામાં તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રામાં ધારાસભ્ય પણ હાજર રહ્યા


SHARE













ટંકારામાં તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રામાં ધારાસભ્ય પણ હાજર રહ્યા

સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ટંકારા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા પણ હાજર રહ્યા હતા. દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તિરંગાનું સન્માન કરી તિરંગા પ્રત્યે લોકોમાં જાગૃતિ અને વધુ અહોભાવ ઉત્પન્ન કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ હર ઘર તિરંગા યાત્રામાં મોરબી જિલ્લો પણ રંગે ચંગે સહભાગી બન્યો છે. ત્યારે તારીખ ૧૨ ઓગસ્ટ ના રોજ સવારે ટંકારા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઉપરાંત પ્રભુભાઈ કામરિયા, કિરીટભાઇ અંદરપા, અશોકભાઇ ચાવડા, દિનેશભાઇ સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સ્ંખ્યામા વિવિધ શાળાના બાળકો જોડાયા હતા.








Latest News