મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ભારત બંધને ટંકારા શહેર-તાલુકામાં સમર્થન: આવેદનપત્ર આપ્યું


SHARE















ભારત બંધને ટંકારા શહેર-તાલુકામાં સમર્થન: આવેદનપત્ર આપ્યું

21 ઓગષ્ટ 2024 નાં દિવસે ભારત બંધનું એલાન આપવામાં આવું હતું ત્યારે ટંકારા તાલુકા અને શહેરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અને સુપ્રિમ કોર્ટનાં જજોએ અનુસુચિત જાતિજનજાતિનાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ ભારત બંધનું આહવાન કર્યું હતું. જેમાં બહુજન સમાજનાં હિતેચ્છુ બહેન કુમારી માયાવતીજીએ આ બંધનાં મૂદ્દે સમર્થન આપી સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટનાં જજ કાયદો ન ઘડી શકેસંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે. એવી ટકોર કરી હતી. ટંકારા શહેર અને તાલુકામાં મોટેભાગે વેપારી વર્ગો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. અને અનુસુચિત જાતિ. જનજાતિ સમુદાયના લોકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ટંકારા મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આયુ હતું અને અનામત વિષયે સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલ જજમેન્ટને સંસદીય પ્રક્રિયાથી સુધારણાં પર લાવવાં અથવા પરત ખેંચવામાં નહીં આવે તો સમસ્ત બહુજન સમાજને ઉગ્ર આંદોલનનાં રસ્તે જવું પડશે તેવી રજૂઆત બહુજન અગ્રણી નાગજીભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.






Latest News