મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ


SHARE















મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ

સુપ્રિમ કોર્ટનાં જજોએ અનુસુચિત જાતિ, જનજાતિનાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ ભારત બંધનું એલાન આપ્યું હતું જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અનુસુચિત જાતિ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી રેલી નીકળી હતી અને મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટનાં જજ કાયદો ન ઘડી શકે, સંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે. અને હાલમાં ભારત બંધના એલાનના સમર્થનમાં મોરબી આગેવાનો સહિતના લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી કેટેગરીમાં પણ પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરી છે તે ચુકાદાનો અમે સખ્ત વિરોધ કરીને નવો કાયદો રદ્દ કરીને જુનો કાયદો હતો તેને ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News