મોરબી પાલિકામાં કરેલ રજૂઆત પછી શું કામ કર્યું: રિજનલ કમિશ્નર પાસે કોંગ્રેસે કરી કામની ઉઘરાણી !
મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ
SHARE
મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ
સુપ્રિમ કોર્ટનાં જજોએ અનુસુચિત જાતિ, જનજાતિનાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ ભારત બંધનું એલાન આપ્યું હતું જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અનુસુચિત જાતિ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી રેલી નીકળી હતી અને મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટનાં જજ કાયદો ન ઘડી શકે, સંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે. અને હાલમાં ભારત બંધના એલાનના સમર્થનમાં મોરબી આગેવાનો સહિતના લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી કેટેગરીમાં પણ પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરી છે તે ચુકાદાનો અમે સખ્ત વિરોધ કરીને નવો કાયદો રદ્દ કરીને જુનો કાયદો હતો તેને ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.









