કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

વાંકાનેરની પરશુરામ સોસાયટીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરની પરશુરામ સોસાયટીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

વાંકાનેરમાં આવેલ પરશુરામ સોસાયટીમાં પાણીની મોટરનો વાયર લુઝ હતો જેથી કરીને યુવાન તેનું રિપેરિંગ કરી રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ મોહનભાઈ ચાવડા પોતે પોતાને ઘરે પાણીની મોટરનો વાયર લુઝ હોય તેનું રીપેરીંગ કામ કરતા હતા ત્યારે લાઈટ ન હતી અને અચાનક ઇલેક્ટ્રીક શોર્ટ લગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ એન્ટીલા સીરામીક ખાતે રહેતા સંગીતાબેન દિલીપભાઈ યાદવ (30) નામની મહિલાને કોઈ અજાણ્યા બાઈક ચાલકે કારખાના નજીક હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તેમાં મહિલાને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા રામાભાઇ બાબુભાઈ અખીયાણી (40) ને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ જીલુભાઈ ગોગરા ચલાવી રહ્યા છે






Latest News