મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

વાંકાનેરની પરશુરામ સોસાયટીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE













વાંકાનેરની પરશુરામ સોસાયટીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

વાંકાનેરમાં આવેલ પરશુરામ સોસાયટીમાં પાણીની મોટરનો વાયર લુઝ હતો જેથી કરીને યુવાન તેનું રિપેરિંગ કરી રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ મોહનભાઈ ચાવડા પોતે પોતાને ઘરે પાણીની મોટરનો વાયર લુઝ હોય તેનું રીપેરીંગ કામ કરતા હતા ત્યારે લાઈટ ન હતી અને અચાનક ઇલેક્ટ્રીક શોર્ટ લગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ એન્ટીલા સીરામીક ખાતે રહેતા સંગીતાબેન દિલીપભાઈ યાદવ (30) નામની મહિલાને કોઈ અજાણ્યા બાઈક ચાલકે કારખાના નજીક હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તેમાં મહિલાને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા રામાભાઇ બાબુભાઈ અખીયાણી (40) ને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ જીલુભાઈ ગોગરા ચલાવી રહ્યા છે




Latest News