ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત


SHARE













ટંકારાના છતર પાસે બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત

રાજકોટના બેડી યાર્ડ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ-5 માં રહેતો યુવાન બાઈક લઈને ટંકારા રાજકોટ રોડ ઉપર આવેલ છતર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું અને યુવાનનું માથું રોડના ડિવાઇડર સાથે અથડાયું હતું જેથી કરીને યુવાનને માથામાં અને શરીર ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ નજીક આવેલ બેડી યાર્ડ સામે ઇન્દ્રપ્રસ્થ-5 માં રહેતા મનસુખભાઈ દેવરાજભાઈ જેઠા જાતે આહિર બોરીચા (48) રાજકોટ ટંકારા હાઈવે રોડ ઉપર આવેલ છત્તર ગામ પાસે પોલિપેકના કારખાનાની બાજુમાંથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક નંબર જીજે 3 સીજી 8274 રોડ ઉપર સ્લીપ થયું હતું જેથી મનસુખભાઈનું માથું ડિવાઈડર સાથે અથડાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી. જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ બાબુભાઈ દેવરાજભાઈ જેઠા જાતે આહિર બોરીચા (47) રહે. ઇન્દ્રપ્રસ્થ-5 બેડી રાજકોટ વાળાની ફરિયાદ લઈને પોલીસ મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા પંકજભાઈ દેવજીભાઈ વાઘેલા (43) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઈ સુંદરજીભાઈ સાવરીયા (80) નામના વૃદ્ધ તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેઓના ઘર નજીક આવેલ સ્કૂલ પાસે બાઈકમાંથી પ્રેમજીભાઈ પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News