મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત


SHARE











ટંકારાના છતર પાસે બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત

રાજકોટના બેડી યાર્ડ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ-5 માં રહેતો યુવાન બાઈક લઈને ટંકારા રાજકોટ રોડ ઉપર આવેલ છતર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું અને યુવાનનું માથું રોડના ડિવાઇડર સાથે અથડાયું હતું જેથી કરીને યુવાનને માથામાં અને શરીર ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ નજીક આવેલ બેડી યાર્ડ સામે ઇન્દ્રપ્રસ્થ-5 માં રહેતા મનસુખભાઈ દેવરાજભાઈ જેઠા જાતે આહિર બોરીચા (48) રાજકોટ ટંકારા હાઈવે રોડ ઉપર આવેલ છત્તર ગામ પાસે પોલિપેકના કારખાનાની બાજુમાંથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક નંબર જીજે 3 સીજી 8274 રોડ ઉપર સ્લીપ થયું હતું જેથી મનસુખભાઈનું માથું ડિવાઈડર સાથે અથડાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી. જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ બાબુભાઈ દેવરાજભાઈ જેઠા જાતે આહિર બોરીચા (47) રહે. ઇન્દ્રપ્રસ્થ-5 બેડી રાજકોટ વાળાની ફરિયાદ લઈને પોલીસ મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા પંકજભાઈ દેવજીભાઈ વાઘેલા (43) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઈ સુંદરજીભાઈ સાવરીયા (80) નામના વૃદ્ધ તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેઓના ઘર નજીક આવેલ સ્કૂલ પાસે બાઈકમાંથી પ્રેમજીભાઈ પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News