ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા પાસે ખેતરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE













માળીયા (મી)ના વાધરવા પાસે ખેતરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં ખેતર પાસેથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જે અંગેની પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ જયેન્દ્રસિંહ ભથુભા જાડેજાના ખેતર પાસે મરણ ગયેલ હાલતમાં અજાણ્યો 30 થી 35 વર્ષનો યુવાન મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની મહિપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (32) રહે. વાધરવા તાલુકો માળીયા મીયાણા વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કાવેરી સિરામિક નજીક રહેતી સોનાબેન રતાભાઇ દેવીપુજક (14) નામની બાળકીએ મહેન્દ્રનગર ચોકડી પાસે કોઈ કારણસર ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News