મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત


SHARE













ટંકારાના છતર પાસે બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત

રાજકોટના બેડી યાર્ડ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ-5 માં રહેતો યુવાન બાઈક લઈને ટંકારા રાજકોટ રોડ ઉપર આવેલ છતર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું અને યુવાનનું માથું રોડના ડિવાઇડર સાથે અથડાયું હતું જેથી કરીને યુવાનને માથામાં અને શરીર ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ નજીક આવેલ બેડી યાર્ડ સામે ઇન્દ્રપ્રસ્થ-5 માં રહેતા મનસુખભાઈ દેવરાજભાઈ જેઠા જાતે આહિર બોરીચા (48) રાજકોટ ટંકારા હાઈવે રોડ ઉપર આવેલ છત્તર ગામ પાસે પોલિપેકના કારખાનાની બાજુમાંથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક નંબર જીજે 3 સીજી 8274 રોડ ઉપર સ્લીપ થયું હતું જેથી મનસુખભાઈનું માથું ડિવાઈડર સાથે અથડાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી. જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ બાબુભાઈ દેવરાજભાઈ જેઠા જાતે આહિર બોરીચા (47) રહે. ઇન્દ્રપ્રસ્થ-5 બેડી રાજકોટ વાળાની ફરિયાદ લઈને પોલીસ મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા પંકજભાઈ દેવજીભાઈ વાઘેલા (43) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઈ સુંદરજીભાઈ સાવરીયા (80) નામના વૃદ્ધ તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેઓના ઘર નજીક આવેલ સ્કૂલ પાસે બાઈકમાંથી પ્રેમજીભાઈ પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.








Latest News