મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું


SHARE











મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું

મોરબીના લીલાપર ગામથી શહેરમાં આવવા માટેના મુખ્ય રોડ ઉપર જે પુલિયું આવેલું છે તે વર્ષો જૂનું પુલિયું ગઇકાલે બપોરના સમયે કોઈ કારણોસર ફૂટી ગયું હતું જેથી કરીને ગામમાંથી શહેર તરફ આવવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અને આ અંગેની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે, મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા તૂટી ગયા છે જોકે પુલ કે પુલિયા તૂટ્યા હોય તેવી કોઈ ઘટના બની ન હતી પરંતુ ગઇકાલે બપોરના સમયે મોરબીના લીલાપર ગામથી મોરબી શહેરમાં આવવા માટેનો મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર યદુનંદન ગૌશાળા પાસે જે 40 વર્ષ જૂનું પુલિયું આવેલું છે તે પુલિયું કોઈ કારણોસર તૂટી પડ્યું હતું જો કે, સદનસીબે ત્યારે ત્યાં ટ્રાફિક ન હોવાથી કોઈ અકસ્માતનો બનાવ બનેલ નથી પરંતુ આ અંગેની જાણ થતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી. મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને લીલાપર ગામથી મોરબી શહેરમાં અવરજવર કરી શકાય તે માટેનો વૈકલ્પિક રસ્તો ચાલુ કરવા માટેની કવાયત હાથ ધરી હતી.






Latest News