ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું


SHARE













મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું

મોરબીના લીલાપર ગામથી શહેરમાં આવવા માટેના મુખ્ય રોડ ઉપર જે પુલિયું આવેલું છે તે વર્ષો જૂનું પુલિયું ગઇકાલે બપોરના સમયે કોઈ કારણોસર ફૂટી ગયું હતું જેથી કરીને ગામમાંથી શહેર તરફ આવવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અને આ અંગેની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે, મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા તૂટી ગયા છે જોકે પુલ કે પુલિયા તૂટ્યા હોય તેવી કોઈ ઘટના બની ન હતી પરંતુ ગઇકાલે બપોરના સમયે મોરબીના લીલાપર ગામથી મોરબી શહેરમાં આવવા માટેનો મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર યદુનંદન ગૌશાળા પાસે જે 40 વર્ષ જૂનું પુલિયું આવેલું છે તે પુલિયું કોઈ કારણોસર તૂટી પડ્યું હતું જો કે, સદનસીબે ત્યારે ત્યાં ટ્રાફિક ન હોવાથી કોઈ અકસ્માતનો બનાવ બનેલ નથી પરંતુ આ અંગેની જાણ થતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી. મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને લીલાપર ગામથી મોરબી શહેરમાં અવરજવર કરી શકાય તે માટેનો વૈકલ્પિક રસ્તો ચાલુ કરવા માટેની કવાયત હાથ ધરી હતી.






Latest News