મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન મોરબીના તળાવીયા સનાળા-વાંકડા ગામ વચ્ચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી વાંકાનેર બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન
Morbi Today

મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું


SHARE



















મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું

મોરબીના લીલાપર ગામથી શહેરમાં આવવા માટેના મુખ્ય રોડ ઉપર જે પુલિયું આવેલું છે તે વર્ષો જૂનું પુલિયું ગઇકાલે બપોરના સમયે કોઈ કારણોસર ફૂટી ગયું હતું જેથી કરીને ગામમાંથી શહેર તરફ આવવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અને આ અંગેની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે, મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા તૂટી ગયા છે જોકે પુલ કે પુલિયા તૂટ્યા હોય તેવી કોઈ ઘટના બની ન હતી પરંતુ ગઇકાલે બપોરના સમયે મોરબીના લીલાપર ગામથી મોરબી શહેરમાં આવવા માટેનો મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર યદુનંદન ગૌશાળા પાસે જે 40 વર્ષ જૂનું પુલિયું આવેલું છે તે પુલિયું કોઈ કારણોસર તૂટી પડ્યું હતું જો કે, સદનસીબે ત્યારે ત્યાં ટ્રાફિક ન હોવાથી કોઈ અકસ્માતનો બનાવ બનેલ નથી પરંતુ આ અંગેની જાણ થતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી. મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને લીલાપર ગામથી મોરબી શહેરમાં અવરજવર કરી શકાય તે માટેનો વૈકલ્પિક રસ્તો ચાલુ કરવા માટેની કવાયત હાથ ધરી હતી.






Latest News