મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત


SHARE













મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રોહિશાળા ગામે મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ મામાનો દીકરો ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી ત્રણેયના મોત નિપજતા નાના એવા રોહિશાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના રાજકોટ રહેતા બે ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.૧૮) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.૧૬) તેના માંમાંના ઘરે આવ્યા હતા અને મામા હિતેશભાઈના દીકરા મેહુલ (ઉ.૨૦) સાથે તેઓ ગામના તળાવમાં ન્હાવા ગયા હતા ત્યારે તળાવમાં અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના મોત નિપજ્યાં હતા જેથી કરીને નાના એવા રોહિશાળા ગામમા દિવાળીના તહેવાર પૂર્વે જ શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News