મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત


SHARE













મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રોહિશાળા ગામે મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ મામાનો દીકરો ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી ત્રણેયના મોત નિપજતા નાના એવા રોહિશાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના રાજકોટ રહેતા બે ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.૧૮) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.૧૬) તેના માંમાંના ઘરે આવ્યા હતા અને મામા હિતેશભાઈના દીકરા મેહુલ (ઉ.૨૦) સાથે તેઓ ગામના તળાવમાં ન્હાવા ગયા હતા ત્યારે તળાવમાં અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના મોત નિપજ્યાં હતા જેથી કરીને નાના એવા રોહિશાળા ગામમા દિવાળીના તહેવાર પૂર્વે જ શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે








Latest News