મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ


SHARE













ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચે હાલમાં એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ ખોટી હોવાનું કહીને તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવાની માંગ કરી છે.

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના લોકો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યુ છેકે, ઓટાળાના અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા સામે ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમારે એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે જેને લઈને અલ્પેશભાઈ ઘોડાસરા સામે થયેલ એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું કહીને તેની તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવામાં આવે તેવી માંગ કરી છે અને જયારે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં હાજર રહ્યા હતા.






Latest News