મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સરકારના શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જે "સ્વભાવ સ્વછતા સંસ્કાર સ્વછતા" કેમપેઈનના ભાગરૂપે તા. ૧૭/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સ્વછતા શપથ, બસ અને બસ સ્ટેશન સ્વચ્છતા માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ડેપોના કેરટેકર પારુલબેન પંડ્યા તેમજ રાજકોટ વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા ના આયોજન સાથે ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ખાસ અશ્વિનભાઇ મેઘાણી (મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ), પરેશભાઈ મઢવી (ભાજપ વાંકાનેર શહેર  પ્રમુખ), ડાયાભાઇ સરૈયા (ભાજપ બક્ષીપંચ મોરબી જિલ્લા ઉપપ્રમુખ), રમેશભાઈ વોરા (પૂર્વ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ), હરેશભાઈ (ભાજપ કાર્યકર), વાંકાનેર એસટીઆઈ રહીમભાઈ પરમાર, વાંકાનેર એટીઆઈ હકુભા પરમાર, ટ્રાફિક કંટ્રોલર, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોટ સ્ટાફ, સ્વીપર સ્ટાફ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા જે આયોજનના ભાગ રૂપે વાંકાનેર એસ. ટી. પરીવાર અને બાપા સીતારામ ગૃપ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News