મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

કચ્છમાં નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળો યોજાયો


SHARE











કચ્છમાં નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળો યોજાયો

જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૪માં જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓના લાભ છેવાડાના નાનામાં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ છે અને દિવ્યાંગોને સાધન સહાય સાંસદ તરફથી વિતરણ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારત ને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના સ્વાસ્થય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગોને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ-ભુજ દ્વારા વિવિધ સહાયોનું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્છ ભરમાં મોદીજીના જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના ગામોમાં આયુષ સંજીવની રથ દ્વારા ની:શુલ્ક તપાસ, આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડની પ્રક્રિયા કરી આપવામાં આવશે તેમજ ૧ વર્ષ સુંધી આયુષ સંજીવની રથ કાર્યરત રહેશે તેમ સાંસદએ જણાવેલ છે. રીઝનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન મધ્યે ૪૦૦ થી વધુ સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકોને તથા વિજેતા બાળકો ને પ્રમાણપત્રો તથા મેડલ થી સન્માન કરવામાં આવેલ મોદી સાહેબના જન્મદિન નિમિતે કેક કાપી જન્મદિન ની ઉજવણી કરવામાં આવેલ હતી

આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપા અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણ મોતા, જીલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, તથા સર્વ પ્રફુલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયંતભાઇ ઠક્કર, રવિભાઇ ગરવા, રિતેનભાઇ ગોર, સંદીપ શાહ, મોહનભાઇ ચાવડા, પ્રકાશ મહેશ્વરીહિતેષ ગોસ્વામી, મનુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રધાન મંત્રી લાભાર્થી કલ્યાણ મેલા કાર્યક્રમની સફળતા માટે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઇ જણસારીએ વ્યવસ્થા અને સંચાલન સંભાળ્યું હતું.






Latest News