મોરબીમાં મંગળવારથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ: એસપીના હસ્તે કરાશે ઉદ્ઘાટન
મોરબીમાં આરબીઆઇના નિયમો નેવે મૂકીને વ્યાજ વસલૂતી ફાઇનાન્સ કંપની-બેંકો સામે કરાઇ રજૂઆત
SHARE








મોરબીમાં આરબીઆઇના નિયમો નેવે મૂકીને વ્યાજ વસલૂતી ફાઇનાન્સ કંપની-બેંકો સામે કરાઇ રજૂઆત
મોરબીમાં ફાયનાન્સ કંપનીઓ અને બેંકો આરબીઆઇના નિયમો નેવે મૂકીને ગ્રાહકો પાસેથી વ્યાજ અને અનઅધિકૃત ફી લેવામાં આવે છે જેથી કરીને આ બાબતે આરબીઆઇને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરી છે.
હાલમાં લાલજીભાઈ મહેતા દ્વારા જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઘણી ફાયનાન્સ કંપનીની ઓફિસ છે. જે ગ્રાહકોને મકાન લોન, ગોલ્ડ લોન તથા ધંધા માટે લોન આપે છે. પણ તેનું વ્યાજ રીઝર્વ બેંકે નકકી કરેલ ધોરણોથી વધારે લેવામાં આવે છે. અને ચેક રીર્ટન થાય તો ૫૦૦ રૂપિયા પેનલ્ટી, એક હપ્તા રહી જાય તો મન પડે તેવું વ્યાજ, ત્રણ હપ્તા ચડી જાય તો ગાડી ખેંચી લેવી અને ગ્રાહકને જાણ બહાર ગાડી વહેંચી નાખવી, ત્રણ હપ્તા ચડી જાય તો પચ્ચીસ લાખના મકાનને સીલ મારી દેવુ, લેણુ ફકત પાંચ લાખ હોય ઘણી રીતે ગ્રાહકને ત્રાસ સાથે માનસીક પીડા ભોગવવી પડે છે. અને હપ્તા ચડે એટલે કડકાઈથી હપ્તાની ઉઘરાણી આવી પરીસ્થીતીમાં ગ્રાહક જાય કયાં ? ફાયનાન્સની હેડ ઓફિસ ચેન્નાઇ, કોલકતા, બેંગલોર, તથા અન્ય રાજયોમાં છે જો કાનુની કાર્યવાહી કરવી હોય તો જે તે રાજયના જયુડીસીયલ અધિકાર થઈ જાય છે. અને રીઝર્વ બેંક તરફથી આવા અધિકારો આપવામાં આવેલ છે કે, ગ્રાહકને ત્રાસ પીડા કે આપઘાત તરફ જવાની ફરજ પડે. દરેક ફાયનાન્સ, બેંક કે શ્રોફ કંપની બહાર બોર્ડમાં વ્યાજનો દર અને વિગત લખવી જોઇએ. અને ગ્રાહકને લોનના કાગળો આપવા જોઈએ જેથી ગ્રાહકને પૈસા ભરવાની માહીતી મળે આ બાબત પોલીસ ડીપાર્ટમેન્ટે પણ આવી ફાયનાન્સ કંપની નિયમ પ્રમાણે ચાલે છે કે નહી ? તેની તપાસ કરવી જોઇએ. અને જો બીનઅધિકૃત રીતે ચાલતી કંપની હોય તો તેને બ્લેક લીસ્ટમાં મુકવી જોઇએ.

