ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના સમલી ગામે માતાજીના માંડવામાં ચક્કર આવતા મોરબીના યુવાનનું મોત


SHARE















હળવદના સમલી ગામે માતાજીના માંડવામાં ચક્કર આવતા મોરબીના યુવાનનું મોત

હળવદ તાલુકાના સમલી ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો યુવાન પણ ગયો હતો અને ત્યાં માતાજીના માંડવામાં આજે વહેલી સવારે ચક્કર આવતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા મહેશભાઈ ભગવાનજીભાઈ બહેરા જાતે ભરવાડ (37) નામના યુવાને માતાજીના માંડવામાં ચક્કર આવતા તેનો મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝનને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના સમલી ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેશભાઈ ગયા હતા અને ત્યાં માતાજીના માંડવામાં તેઓને ચક્કર આવતા તેમનું મોત નીપજયું હતું તેવી માહિતી સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં મેલડી માતા મંદિર પાસે રહેતા રવિ બાબુભાઈ હમીરપરા નામના ૪૫ વર્ષના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે તાલુકાના ઝીંઝુડા ગામે પાડોશી સાથેના ઝઘડા બાદની મારામારીમાં ઈજા પામેલ હલીમાબેન ઇલિયાસભાઈ નોડે નામના ૩૫ વર્ષીય મહિલાને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જે અંગે તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News