મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે બનાવવામાં આવેલ ઉમા સંસ્કારધામમાં 15 જાન્યુઆરીથી લગ્ન વિધિ શરૂ


SHARE













ટંકારાના લજાઈ પાસે બનાવવામાં આવેલ ઉમા સંસ્કારધામમાં 15 જાન્યુઆરીથી લગ્ન વિધિ શરૂ

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ઉમા સંસ્કારધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ત્યાં હવે આગામી 15 મી જાન્યુઆરીથી લગ્ન વિધિ શરૂ કરવામાં આવશે તેવું સંસ્થાના સંચાલકોએ જણાવ્યુ છે.

ટંકારા તાલુકાનાં લજાઈ પાસે રાજકોટ મોરબી રોડ ઉપર ઉમા સંસ્કારધામનું તાજેતરમાં પાટીદાર સમાજના રાજકીય અને સમાજિક આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે તેની સાથોસાથ ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો હતો. ત્યા ઉમા સમાજવાડી યુનિટ-1, યુનિટ-2, ઉમા આદર્શ લગ્ન હોલ, ઉમા અતિથિ ભવન અને ઉમા રંગભવન  વિગેરે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે આગમી 15 જાન્યુઆરીથી ત્યાં લગ્ન વિધિ અને પ્રસંગ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પ્રોજેકટ ચેરમેન એ.કે. પટેલ દ્વારા આપવામાં આવી છે.

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, સમજવાડીના જે બે યુનિટ આવેલા છે. તેનું ભાડું 51 હજાર રાખવામાં આવશે, આદર્શ લગ્ન હોલમાં લગ્ન માટે આવેલા બંને પરિવાર પાસેથી માત્ર 5100-5100 લેવામાં આવશે અને બંને પક્ષેથી 100-100 લોકોને ત્યાં બોલાવવામાં આવશે અને દીકરીને 65 હજારનો કરિયારમ ભૂદેવની દક્ષિણા તેમજ જમાડવા સહિતની સુવિધા સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે. આ જગ્યા ઉપર દરરોજ બે આદર્શ લગ્ન કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સંસ્થાના નિયમો અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું રહેશે તેની માહિતી આગામી દિવસોમાં આપવામાં આવશે.








Latest News