માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા નજીક ભેંસ સાથે ડબલ સવારી બાઇક અથડાતાં વૃદ્ધનું મોત, એક સારવારમાં


SHARE













વાંકાનેરના કેરાળા નજીક ભેંસ સાથે ડબલ સવારી બાઇક અથડાતાં વૃદ્ધનું મોત, એક સારવારમાં

વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ હોટલ સામેથી ડબલ સવારી બાઇક રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈક આડે ભેંસ ઉતરતા બાઇક ચાલકે બાઈકને બ્રેક કરતાની સાથે જ બાઇક ભેંસ સાથે અથડાયું હતું જે અકસ્માતના બનાવમાં બાઇકમાં પાછળના ભાગે બેઠેલા યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે બાઈક ચલાવી રહેલા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આરાધના ગેસ્ટ હાઉસ ચંદ્રપુર ખાતે રહેતા કમલકાંતભાઈ દુર્ગાપ્રસાદભાઈ ચૌધરી (29)મૃતક પુનાભાઈ મંગાભાઈ વોરા (68) રહે. રાતીદેવડી તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ દ્વારકાધીશ હોટલ સામેથી તે મૃતક પૂનાભાઈના બાઈક નંબર જીજે 3 સીએ 0580 માં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેઓના બાઈકની આડે ભેંસ ઉતરતા પુનાભાઈએ બાઇકને કંટ્રોલ કરવા માટે બ્રેક કરી હતી દરમિયાન બાઇકના સ્ટેરિંગનો કાબુ ગુમાવી દેતા બાઈક ભેંસ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જે બનાવમાં ફરિયાદી યુવાનને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે બાઈક ચલાવી રહેલા પુનાભાઈ વોરાને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં ઈજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News