મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે કાલે મતદાન: સાંજે ફેંસલો
SHARE
મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે કાલે મતદાન: સાંજે ફેંસલો
મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટેની ચૂંટણીનું કાલે મતદાન થવાનું છે ત્યારે કોર્ટમાં આવેલ બાર એસો.ના રૂમમાં મતદાન પ્રક્રિયા કરવામાં આવશે અને સવારે 10 થી 2 સુધીમાં મોરબી બાર એસો.ના 552 વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સાંજે મતગણતરી કરવામાં આવશે.
મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવાર છે જેમાં જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ સોરીયા, પ્રાણલાલભાઈ માનસેતા, દેવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયા, દેવજીભાઈ પરમાર, રજાકમિયા બુખારી, મનીષભાઈ જોશીએ ઉમેદવારી કરેલ છે. અને સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા, દેવજીભાઈ પરમાર, ધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતર, પ્રદીપભાઈ કટીયા, કરમશીભાઈ પરમાર, મોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ છે. જેમથી હોદેદારોને ચૂંટવા માટે કાલે વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને ખાસ કરીને કાલે ચુંટણીમાં કામમાં વકીલો રોકડાયેલ હશે જેથી કરીને બાર એસો.એ ઠરાવ કરીને જે તે કેસને યથાવત સ્ટે જાળવી રાખવામા આવે તેવી જિલ્લાના તમામ જજ સાહેબોને વિનંતી કરેલ છે.