ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ પ્રસિદ્ધ કરેલ વાહન કરની નોટીસ રદ કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE













મોરબી પાલિકાએ પ્રસિદ્ધ કરેલ વાહન કરની નોટીસ રદ કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી પાલિકાવાહનકર વસૂલમાં માટેની કાર્યવાહી કરેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આ જાહેર નોટિસને રદ કરવામાં આવે તેવી ચીફ ઓફીસરને લેખિતમાં રજુઆત કરી છે.

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ગત તા. 21/11/2024 ના રોજ પાલિકા તરફથી લોકોને અંધારામાં રાખીને ગુજરાત મ્યુનિસિપલ એક્ટ- 1963ની કલમ-101 અન્વયે વાહનકર ચૂકવવા માટેની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલી છે. જે નોટિસ મુજબ પાલિકાની હદમાં કોઈ પણ પ્રકારનું વાહન લેવામાં આવશે તો 3 થી 7 ટકા સુધીનો વાહનકર વસુલવામાં આવશે. હજુ મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ નથી. અને લોકોને પ્રાથમિક સુવિધા પણ સારી મળી રહી નથી. અને મસમોટા ભ્રષ્ટાચાર કરીને પાલિકાની તિજોરીને ખાલી કરી નાખેલ છે.

મોરબીના ઉદ્યોગોકારો સહિતના મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોને પડ્યા ઉપર પાટું મારવા સમાન કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં પ્રમુખે કહ્યું છે કે, આ આ વાહનકર નાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો તે પહેલા શું અધિકારી મોરબીના વિસ્તારોની મુલાકાત લીધેલ હતી ખરી ? કે પછી મોરબી પાલિકાની તિજોરીમાં કઈ બચેલ નથી એટલે લોકોને જાણી જોઈને લૂંટી લેવાના એકમાત્ર આશયથી પ્રજાને અંધારામાં રાખી વાહનકરની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી છે તેવો સવાલ કરીને તાત્કાલિક ધોરણે આ નોટિસ રદ્દ કરવાની માંગ કરી છે.






Latest News