મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી પાલિકા વાહન વેરો અમલમાં મૂકશે તો આમ આદમી પાર્ટી કરશે આંદોલન


SHARE













મોરબી પાલિકા વાહન વેરો અમલમાં મૂકશે તો આમ આદમી પાર્ટી કરશે આંદોલન

મોરબી પાલિકાવાહનકર માટેની તૈયારી કરેલ છે અને જાહેર નોટિસ આપેલ છે ત્યારે જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા લોકોના હિતને ધ્યાને રાખીને વાહનકર વિરુદ્ધ વાંધા અરજી અને લેખિત આવેદનપત્ર આપેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલિકા દ્વારા કોઈપણ વ્યક્તિ વહાન લે તો વહાનકર ચુકવવો પડશે. તેના માટેની કાર્યવાહી કરેલ છે. હાલમાં રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, આરોગ્યની સુવિધાનો અભાવ હોવા છતાં પાલિકા દ્વારા વહાનકર નામનો વેરો આમ જનતા પર નાખવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને આર્થિક ઘણું સહન કરવું પડે તેવી પરિસ્થિતી ઊભી થવાની છે જેથી નાના લોકોની રોજીરોટી ન છીનવાઇ તે માટે વાહન કર અમલમાં ન મૂકવામાં આવે તેવી માંગ કરી છે. અને છતાં પાલિકા દ્વારા આ કર લગાવવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે  અને હાલમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના ઠરાવ વિરુદ્ધ 50 જેટલી વાંધા અરજીઓ આપવામાં આવેલ છે. આ તકે જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News