મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સાર્થક તુલસી દિવસ સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું આયોજન


SHARE













મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સાર્થક તુલસી દિવસ સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું આયોજન

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે છેલ્લા આઠ વર્ષથી સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી તા. 25 ડિસેમ્બરના રોજ સાર્થક વિદ્યામંદિર દ્વારા નવ મો સાર્થક તુલસી દિવસ ઉજવવામાં આવશે. અને તેની સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ખાતે તા. 25 ડિસેમ્બરે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે તુલસી પૂજન, તુલસી સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ, તુલસી પ્રદર્શની અને તુલસી રોપા તેમજ માંજર વિતરણનો કાર્યક્રમો યોજાશે. તેની સાથોસાથ તા. 24 અને 25 ના રોજ સવારે 9:00 થી સાંજે 5:00 સુધી બિઝનેસ કાર્નિવલનું પણ આયોજન કરાયું છે. જેમાં ધો. 9 થી 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નિર્માણ, એથીકલ ઇકોનોમિક્સ વે ઓફ બિઝનેશ, કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન, નેટવર્કિંગ માટે યોગ્ય તક, કોમ્યુનિકેશન સ્કિલ, વાસ્તવિક વ્યાપારી વિશ્વને સમજવું જેવી માહિતી આપવામાં આવશે. તેમજ તા 25 ડિસેમ્બરના રોજ સવારે 9:00 થી 12:30 સુધી પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન રાખવામા આવેલ છે. જેમાં વર્ષ 2017 થી 21 સુધીના વર્ષમાં ધો. 12 પૂર્ણ કરેલા હોય તે વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાશે તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે.








Latest News