મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રહીને માતાને ધક્કો મારીને રસ્તા ઉપર પડી દઈને લતા મારી: ત્રણ સામે ફરિયાદ


SHARE













ટંકારાના સજનપર ગામે દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રહીને માતાને ધક્કો મારીને રસ્તા ઉપર પડી દઈને લતા મારી: ત્રણ સામે ફરિયાદ

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વૃદ્ધા તેમની હુ સાથે મંદિરે જતા હતા ત્યારે તેના દીકરા સાથે અગાઉ જેને ઝઘડો થયો હતો તે શખ્સ ગાળો બોલતો હતો જેથી તેને ગાળો આપવાની ના પાડી હતી ત્યારે આ શખ્સે વૃદ્ધાને ધક્કો મારીને નીચે જમીન ઉપર પાડી દીધા હતા અને લાત મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ હાલમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા રુક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરા (71)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરજીભાઈ લીંબાભાઇ બરાસરા, અશોકભાઈ બચુભાઈ બરાસરા અને વિવેક અશોકભાઈ બરાસરા રહે. ત્રણેય સજનપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના દીકરા અશોકભાઈ અને ભરતભાઈને અગાઉ હરજીભાઈ બરાસરા સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખારાખીને ફરિયાદી તથા તેમના વહુ ગામમાં આવેલ મંદિરે જઈ રહ્યા હતા દરમિયાન હરજીભાઈ બરાસરા ગાળો બોલતા હતા જેથી કરીને ફરિયાદી વૃદ્ધાએ ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી વૃદ્ધાને ધક્કો મારીને જમીન ઉપર પાડી દીધા હતા અને ત્યારબાદ લાતો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ અશોકભાઈ બરાસરા અને વિવેકભાઈ બરાસરાએ ફરિયાદીના ઘર પાસે આવીને બધાને ગાળો આપીને જોઈ લેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધાએ સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News