મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી: મહાપાલિકાની પહેલી બોડી કોંગ્રેસની બને તેવો સંકલ્પ કર્યો


SHARE













મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી: મહાપાલિકાની પહેલી બોડી કોંગ્રેસની બને તેવો સંકલ્પ કર્યો

મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ણ હૉલ ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં આગમી સમયમાં આવનાર મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પ્રથમ બોડી કોંગ્રેસની બને તેના માટેનો સંકલ્પ કર્યો હતો. 

મોરબીમાં રાષ્ટ્રીય  કૉંગ્રેસ સેવા દળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય કૉંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ લાલજી દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિબેન આહીર તેમજ  ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સેવા દળના પ્રભારી દેવેન્દ્ર શર્મા હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મમાં ભાજપ ઉપર સત્તાના નશામાં તાનાશાહીનો આરોપ લગાવામાં આવ્યો હતો. અને ભાજપની નીતિનો વિરોધ કર્યો હતો.સાથે સાથે તેઓએ કોંગ્રેસ કાર્યકરોને લોક પ્રશ્નો લઇ છેવાડાના લોકો સુધી પહોંચવા અને કોંગ્રેસનો હાથ મજબૂત કરવા અપીલ કરી હતી. તેમજ આવનારી મહાપાલિકાની જ્યારે ચુંટણી થાય ત્યારે પ્રથમ બોડી કોંગ્રેસ બહુમતીથી ચૂંટાય અને પ્રથમ જનરલ બોર્ડ કોંગ્રેસનું મળે તેવો સંકલ્પ કર્યો હતો. અને કોંગ્રેસ કાર્યકરોને તેના માટે સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી.

આ તકે લાલજીભાઇ દેસાઈએ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સત્તાના નશામાં ચૂર થઈ ગયા છે અને લોકોને અલગ અલગ સમસ્યા અને ગુનેગારો સામે મૂકી દીધા છે. મહાત્મા ગાંધીએ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યું, કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાન સામે લડત આપી  શહીદી વ્હોરી, રાજીવ ગાંધી દેશના દક્ષિણ ભાગને બચવવા પોતાના જીવની આહુતિ  જ્યારે ભાજપે ત્રણ મોદી અપાયા એક નીરવ મોદી બેંકના રૂપિયા લઈ વિદેશ ભાગી ગયોબીજો લલિત મોદી ક્રિકેટમાં કરોડોનું કૌભાંડ કરી ભાગી ગયો અને ત્રીજો મોદી નોટ બંધી જીએસટી બેરોજગારી અને ધર્મના નામે લડાઈ ચલાવી પ્રજાને તરછોડી દીધી છે.








Latest News