મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી: મહાપાલિકાની પહેલી બોડી કોંગ્રેસની બને તેવો સંકલ્પ કર્યો


SHARE













મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી: મહાપાલિકાની પહેલી બોડી કોંગ્રેસની બને તેવો સંકલ્પ કર્યો

મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ણ હૉલ ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં આગમી સમયમાં આવનાર મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પ્રથમ બોડી કોંગ્રેસની બને તેના માટેનો સંકલ્પ કર્યો હતો. 

મોરબીમાં રાષ્ટ્રીય  કૉંગ્રેસ સેવા દળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય કૉંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ લાલજી દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિબેન આહીર તેમજ  ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સેવા દળના પ્રભારી દેવેન્દ્ર શર્મા હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મમાં ભાજપ ઉપર સત્તાના નશામાં તાનાશાહીનો આરોપ લગાવામાં આવ્યો હતો. અને ભાજપની નીતિનો વિરોધ કર્યો હતો.સાથે સાથે તેઓએ કોંગ્રેસ કાર્યકરોને લોક પ્રશ્નો લઇ છેવાડાના લોકો સુધી પહોંચવા અને કોંગ્રેસનો હાથ મજબૂત કરવા અપીલ કરી હતી. તેમજ આવનારી મહાપાલિકાની જ્યારે ચુંટણી થાય ત્યારે પ્રથમ બોડી કોંગ્રેસ બહુમતીથી ચૂંટાય અને પ્રથમ જનરલ બોર્ડ કોંગ્રેસનું મળે તેવો સંકલ્પ કર્યો હતો. અને કોંગ્રેસ કાર્યકરોને તેના માટે સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી.

આ તકે લાલજીભાઇ દેસાઈએ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સત્તાના નશામાં ચૂર થઈ ગયા છે અને લોકોને અલગ અલગ સમસ્યા અને ગુનેગારો સામે મૂકી દીધા છે. મહાત્મા ગાંધીએ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યું, કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાન સામે લડત આપી  શહીદી વ્હોરી, રાજીવ ગાંધી દેશના દક્ષિણ ભાગને બચવવા પોતાના જીવની આહુતિ  જ્યારે ભાજપે ત્રણ મોદી અપાયા એક નીરવ મોદી બેંકના રૂપિયા લઈ વિદેશ ભાગી ગયોબીજો લલિત મોદી ક્રિકેટમાં કરોડોનું કૌભાંડ કરી ભાગી ગયો અને ત્રીજો મોદી નોટ બંધી જીએસટી બેરોજગારી અને ધર્મના નામે લડાઈ ચલાવી પ્રજાને તરછોડી દીધી છે.






Latest News