મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જમીન મંજૂર
SHARE
મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જમીન મંજૂર
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો જેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે તેને અરજી કરવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલો તથા પુરાવોને ધ્યાન રાખીને આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ભોગ બનનાર સગીરાની માતાએ સુરજ રામભરોસા રાજભર નામના શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવેલ હતી જેથી વાંકાનેર તાલુકો પોલીસ દ્વારા આરોપી સુરજ રામભરોસા રાજભરની ધરપકડ કરવામાં આવી હતી અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન આ કેસની પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કર્યા બાદ આરોપીના રેગ્યુલર જમીન માટે મોરબીના સિનિયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા મેનાબેન એ. પરમાર મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલો તથા પુરાવાઓને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબે આરોપીને 25,000 ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરવાનો હુકમ કરેલ છે.









