મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત


SHARE











ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં કામગીરી દરમિયાન યુવાન ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો ત્યારે અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે  આગળની કાર્યવાહી હાથ રી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલ હરણવાળી પોળ નવી મોહલ્લ્ત ખાતેના રહેવાસી મોહમ્મ્દજુનેદ નુરમોહમ્મદ શેખ (37) નામનો યુવાન ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો દરમિયાન અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની મૃતક યુવાનના મોટાભાઈ સોહિલભાઈ નુરમોહમ્મદ શેખ (40) રહે. હરણવાળી પોળ નવી મોહલ્લ્ત કાળુપુર અમદાવાદ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

યુવાનનું મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર અંજલી પાર્ક સોસાયટી રામકો બંગલોની પાછળ રહેતા હરેશભાઈ મગનલાલ અંદરપા (44ને લાંબા સમયથી મગજની બીમારી હતી અને ગઈકાલે સવારે 11:00 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ બંધ થઈ જતા તેને ખાનગી ગાડીમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ મૃતકના કૌટુંબિક કલ્પેશભાઈ મગનભાઈ અંદરપા (40) રહે. રાજકોટ વાળાએ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News