મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ


SHARE











મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ

મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા દર અઠવાડિયે એક રોડ ઉપર દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજે મોરબીના નવલખી રોડે દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે કાચા અને પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને જે ગેરકાયદે મકાનો ખડકી દેવામાં આવેલ છે તેના આસામીઓને નોટિસ આપવામાં આવશે ત્યાર બાદ તે દબાણોને પણ તોડવામાં આવશે.

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યાર પછીથી કમિશ્નર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જુદાજુદા મુખ્ય માર્ગની આસપાસના દબાનોને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના શનાળા રોડ, વાવડી રોડ, મહારાણા પ્રતાપ સર્કલમ માળીયા ફાટક અને નટરાજ ફાટક પાસે દબાણો દૂર કરવામાં આવેલ છે અને મહાપાલિકાની “વન વિક વન રોડ” ઝુંબેશ અંતર્ગત આજે નવલખી રોડ ઉપર દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેની અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ કુબેરનગરની આસપાસમાં જે સોસાયટીઓ આવેલ છે તેની આજુબાજુમાં દબાણો હતા અને ખાસ કરીને 80 ફૂટનો રોડ છે ત્યાં અંદાજે 40 ફૂટ જેટલા દબાણો થઈ ગયેલ છે તેના ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને આ રૂટ ઉપર જે પાકા મકાનોના દબાણ કરવામાં આવેલ છે તેને દૂર કરવા માટે પહેલા આસામીઓને મહાપાલિકામાંથી નોટિસ આપવામાં આવશે પછી દબાણો દૂર કરવામાં આવશે. વધુમાં કમિશ્નર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે, અગાઉ જુદાજુદા વિસ્તારમાં દબાણો હટાવેલ છે અને આજે નવલખી રોડ ઉપરના દબાણ હટાવવામાં આવ્યા છે અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે.






Latest News