મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામે એસટીની સુવિધા આપવા કિશોરભાઇ ચિખલિયાની માંગ


SHARE













માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામે એસટીની સુવિધા આપવા કિશોરભાઇ ચિખલિયાની માંગ

માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામને એસટી બસની સુવિધા નથી મળી રહી જેથી કરીને આ સુવિધા આપવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રગઢ ગામે એસટી બસની સુવિધા મળી રહી નથી જેથી કરીને મહેન્દ્રગઢ ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને ગામના લોકોને હેરાન થવું પડે છે અને લોકો સમયસર પોતાની મંજિલ સુધી પહોચી શકતા નથી જેથી મોરબીથી સરવડ જતી બસને વાયા મહેન્દ્રગઢ થઈને સરવડનો જે બસનો ફેરો સવારે ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે તે ચાલુ કરવામાં આવે અથવા સવારે 8:00 વાગ્યે પીપળીયા ચાર રસ્તા તરફનો અન્ય રૂટ સરવડથી મહેન્દ્રગઢ તરફ ચલાવવામાં આવે તેમજ મોરબીથી માળિયા 3:45 વાગ્યે જે બસ ઉપડે છે તે ખૂબ જ અનિયમિત ચાલે છે જેથી સરવડ અભ્યાસ માટે જતાં મહેન્દ્રગઢના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે આ બસને પણ સમયસર ચલાવવામાં આવે અને રાજકોટથી માળિયા બસ રૂટ વારંવાર કેન્સલ કરાય છે જેથી મુસાફરોને હેરાન થવું પડે છે અને સાંજે જે બસ આવે છે તે ખૂબ મોડી ઉપડે છે માટે જુદાજુદા રૂટની બસોને નિયમિત રીતે ચલાવવામાં આવે અને જે ગામમાં બસ નથી આવી રહી ત્યાં બસની સુવિધા આપવામાં આવે તેવી કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખે માંગ કરી છે.






Latest News