મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી કલાનગરી હોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાઉન હોલ વ્યવસ્થિત કરી ચાલુ કરાવો : રામભાઇ મહેતા


SHARE













મોરબી કલાનગરી હોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાઉન હોલ વ્યવસ્થિત કરી ચાલુ કરાવો : રામભાઇ મહેતા

મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતા તેમજ સ્વપનીલ ખરે જેવા પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ ઓફીસર મુકવામાં આવતા મોરબીની પ્રજાની ઘણી બધી અપેક્ષાઓ પરીપૂર્ણ થઈ શકે તેમ છે.માટે મોરબીના હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મહા પાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને જણાવવામાં આવેલ છે કે,મોરબી એક કલાનગરી છે.અહીંયા ઘણી બધી નાટય સંસ્થાઓ કાર્યરત છે, મ્યુઝીકલ પાર્ટીઓ છે.અવાર નવાર નાના ભુલકા-બાળકોની ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવતુ હોય છે.તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.

તેથી રાજકોટમાં જે રીતે બાલ ભવન છે.તેમા બાળકો પોતાની કલાકૃતિ રજુ કરી શકે છે.પરંતુ અહીં મોરબીમાં ટાઉન હોલ તો છે પણ ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ છે.જેની કોઈ સાર સંભાળ લેતુ નથી.માટે કલાપ્રેમીઓ વતી વિનંતી છે કે જો આ ટાઉન હોલ કે જે વર્ષોથી બંધ હાલતમાં છે.તેને ચાલુ કરવામાં આવે તો મોરબીની આમ જનતા માટે નાટક શો, મ્યુઝીક શો, તેમજ અન્ય મનોરંજન કાર્યક્રમો વિગેરેનું આયોજન કરી રજુ કરી શકાય તેમ છે.જો તેમ થાય તો આમ પ્રજાને મનોરંજનની તક મળે અને મહાનગરપાલિકને પણ ભાડાની આવક થાય અને કલાકારોને પણ પ્રોત્સાહન મળે, રોજીરોટી મળે, પ્રજાને પણ અનેકવિધ મનોરંજક કાર્યક્રમો માણવા મળે.જયાં પ્રજા અને કલાકારો અને નાના બાળકો પોતાની પ્રતિભા ઉજાગર કરી શકે તેવા હિતમાં આ રજૂઆત કરવામાં આવેલ હોય આ બાબતે યોગ્ય કરવા હિમસન આર્ટીસ્ટ ફેડરેશન વતી રામભાઇ મહેતાએ કમીશ્નરને લેખીત રજુઆત કરેલ છે.






Latest News