મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી


SHARE













ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી

ટંકારાની લતીપર ચોકડી પાસે ભરાતી શનિવારી બજારમાં યુવાન ગયો હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના મોબાઈલ ફોનની ચોરી કરી લેવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સાવડી ગામે જયનગરની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કલ્પેશભાઈ શંકરભાઈ કટારા (22) નામના યુવાને મોબાઇલ ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લતીપર ચોકડી પાસે ભરતી શનિવારી બજારમાં તેનો નાનો ભાઈ જયેશ ગયો હતો ત્યારે તેનો રેડમી કંપનીનો 8500 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માત થતાં વૃદ્ધને ઇજા

મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગર પાસે કેસરી હાઈટ સતનામ નગર ખાતે રહેતા આદ્રોજા લાભુબેન શામજીભાઈ (65) નામના વૃદ્ધાના પગ ઉપરથી અન્ય વાહન ફરી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં સોઓરડી પાછળ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા દેવશીભાઈ અમરાભાઇ પરમાર (53) નામના આધેડને માળિયા વનાળીયા સોસાયટીના રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News