મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
Breaking news
Morbi Today

કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE













કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છથી જોધપુર ટ્રેન શરૂ થવા માટેની લાંબા સમયથી પ્રવાસી જનતાની માંગણી હતી જેથી સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર્ન રેલ્વે મંત્રીને લોકોની રજુઆત પહોચાડી હતી અને રેલ્વે વિભાગે ગાંધીધામથી જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પ્રવાસી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.  

કચ્છ અને રાજસ્થાનની સંસ્કૃતિ-રીતરિવાજોમાં ઘણી બધી સમાનતા છે. અને વ્યાવહારિક સબંધો એકમેકને મળતા છે. પ્રસંગોપાત અને વેપાર વણજ ને કારણે આવન જાવન રહે છે. સપ્તાહમાં ત્રણ વખત ચાલતી ગાંધીધામ-જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાની રેલ્વે મંત્રાલયની પહેલને કચ્છની જનતા સંસ્થાનો ચેમ્બર અને સાંસદ તથા જન પ્રતિનિધિઓની માંગણીઓને લક્ષમાં લઇ ગાંધીધામ જોધપુર ટ્રેન દૈનિક કરવા માટે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, આ ટ્રેન શરૂ થતાં કચ્છ-ગુજરાત રાજસ્થાનની જનતામાં આનંદની લાગણી થઇ છે. આ ટ્રેન ગાંધીધામથી રાત્રે ૧૧:૫૫ વાગ્યે રવાના થઇ સવારે ૯:૩૦ વાગ્યે જોધપુર પહોંચશે અને જોધપુર થી રાત્રે ૮:૫૦ વાગ્યે રવાના થઇ સવારે ૬:૫૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. કચ્છ અને રાજસ્થાન જોધપુરને જોડતી આ ટ્રેન માટે ખુબજ લાંબા સમયની માંગણી, મૌખીક અને લેખીત રેલ્વે મંત્રાલયમાં રજુઆતની ફલશ્રુતિ દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News