મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવામાં આવતા મહાપાલિકાએ કર્યું ડિમોલેશન


SHARE













મોરબીમાં ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવામાં આવતા મહાપાલિકાએ કર્યું ડિમોલેશન

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર ખાનગી બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેવામાં લખધીરવાસ ચોક પાસે થઈ રહેલા ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા છોડવામાં આવી ન હતી જે અંગેની મહાપાલિકામાં રજૂઆત અને ફરિયાદ કરવામાં આવતા મહાપાલિકાની ટીમ દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી

મોરબી મહાપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ રહેણાંકકોમર્શિયલ અને બહુમાળી બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીના લખધીરવાસ ચોક પાસે બળદેવભાઈ વીડજા નામના વ્યક્તિ દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં સ્થાનિક લોકોમાંથી કોઈએ આ બહુમાળી બાંધકામ ગેરકાયદેસર મંજૂરી વગર થતું હોવા અંગેની મહાપાલિકામાં રજૂઆત અને ફરિયાદ કરી હતી જેને ધ્યાનમાં રાખીને મહાપાલિકાની ટીમ દ્વારા એક મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેના દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને દૂર કરવામાં આવ્યુ ન હતુ જેથી કરીને આજે મહાપાલિકાનું બુલડોઝર લખધીરવાસ ચોકમાં પહોંચ્યું હતું અને ત્યાં આસામી દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામમાં માર્જિનની જગ્યા ઉપર કરેલા બાંધકામને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં મહાનગરપાલિકાના ઇજનેર વિનય ગાયકવાડએ જણાવ્યું હતું કે રોડની પહોળાઈ મુજબ બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવતી હોય છે અને જે જગ્યા ઉપર હાલમાં ડિમોલેશન કરવામાં આવી છે ત્યાં ચાર માળથી વધુની બાંધકામની મંજૂરી મળી શકશે નહીં








Latest News