મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવામાં આવતા મહાપાલિકાએ કર્યું ડિમોલેશન


SHARE











મોરબીમાં ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા ન છોડવામાં આવતા મહાપાલિકાએ કર્યું ડિમોલેશન

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર ખાનગી બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેવામાં લખધીરવાસ ચોક પાસે થઈ રહેલા ખાનગી બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા છોડવામાં આવી ન હતી જે અંગેની મહાપાલિકામાં રજૂઆત અને ફરિયાદ કરવામાં આવતા મહાપાલિકાની ટીમ દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી

મોરબી મહાપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ રહેણાંકકોમર્શિયલ અને બહુમાળી બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીના લખધીરવાસ ચોક પાસે બળદેવભાઈ વીડજા નામના વ્યક્તિ દ્વારા બહુમાળી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં સ્થાનિક લોકોમાંથી કોઈએ આ બહુમાળી બાંધકામ ગેરકાયદેસર મંજૂરી વગર થતું હોવા અંગેની મહાપાલિકામાં રજૂઆત અને ફરિયાદ કરી હતી જેને ધ્યાનમાં રાખીને મહાપાલિકાની ટીમ દ્વારા એક મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેના દ્વારા માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને દૂર કરવામાં આવ્યુ ન હતુ જેથી કરીને આજે મહાપાલિકાનું બુલડોઝર લખધીરવાસ ચોકમાં પહોંચ્યું હતું અને ત્યાં આસામી દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામમાં માર્જિનની જગ્યા ઉપર કરેલા બાંધકામને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં મહાનગરપાલિકાના ઇજનેર વિનય ગાયકવાડએ જણાવ્યું હતું કે રોડની પહોળાઈ મુજબ બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવતી હોય છે અને જે જગ્યા ઉપર હાલમાં ડિમોલેશન કરવામાં આવી છે ત્યાં ચાર માળથી વધુની બાંધકામની મંજૂરી મળી શકશે નહીં






Latest News