માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (ખા) ગામે તળાવની પાળે ઝેરી દવા પીને વાઘગઢ ગામના યુવાને કર્યો આપઘાત


SHARE

















ટંકારાના ઘુનડા (ખા) ગામે તળાવની પાળે ઝેરી દવા પીને વાઘગઢ ગામના યુવાને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામ હનુમાનજી વાળા તળાવની પાળે કોઈ કારણોસર યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા મિલનભાઈ દિનેશભાઈ પરમાર (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામે હનુમાનજી વાળા તળાવની પાળ ઉપર પી લીધી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા (60) રહે. ઘુનડા (ખા) તાલુકો ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એચ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં કારખાના પાસે જાહેરમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હતા ત્યારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી કિરીટભાઈ મનસુખભાઈ સોલગામા (56) રહે. જાંબુડીયા વાળા વરલીના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આવી જ રીતે મોરબીના વાઘપરા શેરી નં-11 પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિર્તીભાઈ ઉર્ફે કાનજીભાઈ બીલભાઈ કોટેચા (50) રહે. વાઘપરા શેરી નં-11 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 10,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો




Latest News