મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં સારસ્વત સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીની આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં સારસ્વત સન્માન સમારોહ યોજાયો

મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલ આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજ દ્વારા સારસ્વત સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, માજી ધારાસભ્ય બાનવજીભાઈ મેતલીય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શિક્ષકોનું સન્માન સાંસદ સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સાંસદ પરસોતમભાઈ રૂપાલા પોતાની આગવા અંદાજમાં લોકોનું  સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, “આજની તારીખે ઘણા એવા બાળકો છે જેને ગુજરાતી આવડતું નથી અને તે વાતનો તેના માતા પિતાને ગર્વ હોય છે જો કે, માતૃભાષા વગર આપણી રાષ્ટ્રીયતા અને અસ્મિતા માતૃભાષા વગર ખીલશે નહીં માટે બાળકોને માતૃભાષા સાથે જોડાવા માટેનો શિક્ષકો દ્વારા પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે”. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીના મેનેજીંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ગોરીયા અને રમેશભાઇ કૈલા સહિતના સંચાલકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News