મોરબીમાં મંજૂરી વગર કરાયેલ બાંધકામ તોડી પાડવા મહાપાલિકાએ કરેલ હુકમની સામે હાઇકોર્ટનો સ્ટે
SHARE
મોરબીમાં મંજૂરી વગર કરાયેલ બાંધકામ તોડી પાડવા મહાપાલિકાએ કરેલ હુકમની સામે હાઇકોર્ટનો સ્ટે
મોરબીમાં મંજુરી વગરનુ બાધકામ દુર કરવા માટે મોરબી મહાપાલિકાએ હુકમ કર્યો હતો તેની સામે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જેથી હાઇકોર્ટ દ્વારા મહાપાલિકાના હુકમ સામે સ્ટે આપેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, અરજદાર અરવિંદભાઇ ખોડાભાઇ પરમાર વિગેરેનાઓની વડીલોપાર્જીત ખેતીની જમીનમાં અરજદારો પોતાના જુના ફાર્મ હાઉસ (મકાન) તોડી તેની જગ્યાએ નવુ ફાર્મહાઉસ (મકાન) બનાવતા હતા અને મોરબી મહાનગરપાલિકાએ આ બાધકામ તોડી પાડવા હુકમ કરેલ છે. તેની સામે અરજદારોએ હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરતા હાઇકોર્ટે મોરબી મહાપાલિકાના બાધકામ તોડી પાડવાના હુકમ સામે સ્ટે આપેલ છે. આ કામમાં અરજદારો વતી મોરબીના સીનીયર એડવોકેટ બી.બી. હડીયલ તથા હાઇકોર્ટમાં વકીલ જી.એલ. હજારે રોકાયેલ હતા.