ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછીયાગાળા ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ એનાયત કરાયું


SHARE













વાંકાનેરના કાછીયાગાળા ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ એનાયત કરાયું

વાંકાનેર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) કાછીયાગાળા ખાતે  દિલ્લીની નેશનલ લેવલ ટીમ દ્વારા નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે ગત તા. 12/03/2025 ના રોજ આવી હતી અને સેન્ટરની મુલાકાત લીધી હતી અને ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી કરી હતી.

નેશનલ લેવલથી નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે ક્વોલિફાઇડ થાયએ માટે જિલ્લાની ટીમ જિલ્લા ડો. હાર્દિક રંગપરિયા, ડૉ. આરીફ શેરસિયા અને પ્રા.આ.કેન્દ્ર ના આયુષ મેડિકલ ઓફિસર ડો. મનસુખ બોચિયાના માર્ગદર્શન અને સતત મુલાકાતના પરિણામ સ્વરૂપે મુલાકાતે આવેલ ટીમે આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાને 88.00 %+  રેન્કીંગ આપેલ હતું. આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાના નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે સર્ટિફાઈડ થાય એ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજ મકવાણા, ફિમેલ હેલ્થ વર્કર વંદના સોલંકી, મેલ હેલ્થ વર્કર પ્રતિપાલ પરમાર  અને પ્રા.આ.કેન્દ્ર દલડીના મેડિકલ ઓફિસર ડો. સાયના અન્સારી અને દલડી આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ દ્વાર ખૂબજ જહેમત ઉઠાવી હતી તેમજ મુલાકાતી ટીમ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News