મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કારછે જેથી ડીડીઓ જે.એસ. પ્રજાપતી તેમજ ડેપ્યુટી ડીડીઓ એસ.સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે. અને તેના ભાગ રૂપે મોરબી ઘટક-૨ ના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન પ્રમુખ જિલ્લા પંચાયત મોરબીના હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું. જે ગર્ભ સંસ્કાર વિધીમાં ૧૯ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીમ ડીડીઓ જે.એસ. પ્રજાપતી, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, પીપળી ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન જેઠલોજા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા ચેતનાબેન જેઠલોજા, રમીલાબેન પારેઘી, ડાભી રાજુભાઇ, રમેશભાઇ, જીગ્નેશભાઇ કુબાવતએ  સગર્ભા બહેનો માટે પોષણ કીટ (ખજુર,સુખડી)નું વિતરણ કર્યું હતું.






Latest News