મોરબીના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” છે જેથી ડીડીઓ જે.એસ. પ્રજાપતી તેમજ ડેપ્યુટી ડીડીઓ એસ.સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે. અને તેના ભાગ રૂપે મોરબી ઘટક-૨ ના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન પ્રમુખ જિલ્લા પંચાયત મોરબીના હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું. જે ગર્ભ સંસ્કાર વિધીમાં ૧૯ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીમ ડીડીઓ જે.એસ. પ્રજાપતી, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, પીપળી ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન જેઠલોજા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા ચેતનાબેન જેઠલોજા, રમીલાબેન પારેઘી, ડાભી રાજુભાઇ, રમેશભાઇ, જીગ્નેશભાઇ કુબાવતએ સગર્ભા બહેનો માટે પોષણ કીટ (ખજુર,સુખડી)નું વિતરણ કર્યું હતું.









