મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

સિમાચિહન ચુકાદો: મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડાની મિલ્કત ખાલી કરીને માલિકને સોંપવાનો કોર્ટનો આદેશ


SHARE















સિમાચિહન ચુકાદો: મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડાની મિલ્કત ખાલી કરીને માલિકને સોંપવાનો કોર્ટનો આદેશ

તાજેતરમાં મોરબી સીવીલ કોર્ટમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે ભાડુઆત સામે લાલ આંખ કરી હતી અને ભાડાવાળી મિલ્કત ખાલી કરીને તેનો કબજો માલિકને સોંપવા માટેનો સિમાચિહન ચુકાદો આપેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, મોરબી શહેરમાં સરદાર રોડ ઉપર મુર્તુઝાભાઈ મુસ્તક્ષભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાની સંયુક્ત માલિકીની દુકાનો આવેલ છે જે દુકાનો માહેથી એક દુકાન જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ તેમના પિતા વખતથી ભાડે રાખેલ હતી અને આ ભાડાવાળી દુકાન માત્રને માત્ર સાઈકલો ભાડે આપવા બેસવા ધંધો કરવાના હેતુથી ભાડે આપેલ હતી અને આ દુકાનમાં દુકાનમાલિકની લેખિત પરવાનગી લીધા વિના કોઈપણ ધંધો કરવાનો નથી તેવી શરત ભાડાચિઠ્ઠીમાં લખવામાં આવેલ હતી પરંતુ ભાડુઆત જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ દુકાનમાલિકની પૂર્વ લેખિત પરવાનગી મેળવ્યા વિના ભાડાવાળી દુકાનમાં સી.ડી. અને ડી.વી.ડી. વેચવાનો ધંધો કરેલ અને ત્યારબાદ ચા-પાણી વિગેરેનું વેચાણ કરવાનો ધંધો કરી ભાડાચિટ્ટિની શરતનો ભંગ કર્યો છે. ઉપર મુર્તુઝાભાઈ મુસ્તાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાએ તેમના વકીલ નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆ અને ચિરાગ દુષ્યંતભાઈ કારીઆ મારફતે મોરબીની દિવાની અદાલતમાં ભાડાવાળી દુકાનનો ખાલી કબજો મેળવવા રે.દિ.મુ.નાં. ૭૨/૨૦૧૩ થી દાખલ કરેલ હતો જે દાવો મોરબીના મહે. એડિશનલ સીવીલ જજ સી.વાય.જાડેજા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદી મુર્તુઝાભાઈ મુસ્તફાભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તકાભાઈ લોખંડવાલાનો દાવો મંજુર કર્યો છે અને પ્રતિવાદી જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાને ભાડાવાળી દુકાન ખાલી કરી તેનો કબજો હુકમની તારીખથી દિન-૬૦ માં વાદીને સોંપી આપવાનો હુકમ કર્યો છે અને સિમાચિહન ચકાદો આપેલ છે.આ કેસમાં વાદી પક્ષે વકીલ તરીકે નવલચંદભાઈ જી.કારીઆ, ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીયા રોકાયેલ હતા.જોકે વર્ષ ૨૦૧૭ માં એડવોકેટ નવલચંદભાઈ કારીઆનું અવશાન થતા કેસ ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીઆએ ચલાવ્યો હતો.






Latest News